The Divine Craving of Giriraj Sparshana !





Back in February 2014, when I penned down this poem, I was desperate to visit Shatrunjay Giriraj~ I didn't even have to think a word before writing, the words flowed automatically ! Although there are a few grammatical errors, I did not correct them for the sake of maintaining the essence of the poem, so kindly forgive me for the same. Following is a poem with beautiful pictures of Giriraj !

દાદા તારા દર્શન કરવા, આજ મારે આવું છે,
તુઝ નયનો નું અમૃત [1] પીવા, આજ મારે આવું છે,

ઝંખું છું હું તુઝને, જન્મો થી શોધું છું,
તને મળવાની, હે પ્રભુ ! તલપ એવી જાગી છે !
દુર વસ્યો છો મુઝ થી ઘણો,પર્વત નદી લાંઘી ને આવું છે !
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,

Shatrunjay Giriraj 

નથી જોતા આ સુખ ના સાધનો, બસ તારે શરણે આવું છે,
ત્રિભુવન-તારક નાથ મુઝને, તારો દાસ બનવા આવું છે !
આ ભ્રમણ [2] થી મુક્ત કરવા, એકજ તું દાતાર છો !
મારા પ્રાણ-જીવન વાહલા દાદા,તું એકજ મારો આધાર છો
નિરંજન, નિરાકાર છો, એવું મેં જાણ્યું છે,
તેથીજ તારા ચરણો [3] ની રજ લેવા, આજ મારે આવું છે,
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,



Aerial View of Giriraj !

ભક્તો છે ઘણા તારા, પણ નાથ મારો તુજ છે !
ગરીબ-નવાઝ, જગ-તારણ, પરમ-પિતા બસ તુઝ છે !
સળગેલો સંસાર ભૂલી, બસ તારે શરણે આવું છે,
તુઝ ભક્તિ માં મસ્ત બનીને , તારે પંથે જાવું છે !
કાંકરે કાંકરે [4] અનંતા સિદ્ધયા , એવી તારી ભૂમિ છે !
એજ ભૂમિ નું સ્પર્શન કરવા, લગની ઘણી લાગી છે !
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,



Taleti !
Taleti !

શ્વાસે શ્વાસે સ્મરણ કરીશ હું, એવી મારી આશા છે ,
વિશ્વ-વંદનીય નાથ , તુજ ચરણો કેરીજ અભિલાષા છે !
અદભુત તારા દેદાર છે, એવું મેં સાંભળ્યું છે !
એજ દેદાર ના દર્શન કરવા, ઉઠી અગન એવી જાગી છે !
અલૌકિક એવી ભૂમિ માં, ભક્તો ની ભીડ ભાંગી છે !
તેજોમય નાથ કેરી, ભક્તિ અનેરી જાગી છે !
રજળી-રખડી ને દાદા, હવે તારે દ્વારે આવું છે !
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,



Nav Tunk !

Giri Vadhamana !

પગથીયે- પગથીયે [5] પુષ્પ બિછાવીશ, જ્યાં તે ચરણો મુક્યા છે,
એકમેવ, દીનાનાથ, પુણ્ય થી અહોભાગ્ય મને મળ્યા છે !
સર્વ સુખ મળ્યા પ્રભુ, એવો આભાસ થાય છે ,
મન કેરા સર્વ મનોરથ, જાણે સઘળા પુરા થાય છે !
નાચતા ઝૂમતા તારા પાસે આવું છે,
અનહદ નાદ ભજવી, બસ તારા ગુણલા ગાવા છે,
અલબેલો-અલબેલો [6] કહી, ધૂન પોકારી આવું છે !
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,



પગથીયે- પગથીયે પુષ્પ બિછાવીશ, જ્યાં તે ચરણો મુક્યા છે,

રામ, સગાળ, વાઘણ, હસ્તી [7] ના, દર્શન કરી ને આવુ છે,
રતન ની નગરી માં દાદા [8] , તુઝ ને નીરખવા આવું છે,
દ્વાર ઉઘાડા કરો નાથ, હૃદય ની એવી પોકાર છે,
આંખ માં આંસુ, અને મુખ માં બસ તારુજ સ્મરણ છે ,
ત્રિલોક-વિશ્વદીપ નિહારવા, આ હય્યું હવે બેચૈન છે ,
અંધકાર થી ઉજાળવા, હવે નાથ બસ એક તુઝ છે ,
જય-જય [9] કેરા નાદ માં, હવે તને મળવા આવું છે ,
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,



Dada no Darbaar !
Shetrunji Nadi & Hastagiri from Shatrunjay 

તને જોતાજ જાણે, ઉમંગ એવી જાગી છે ,
ત્રિભુવન સ્વામી કેરી, ઠાઠ-બાંઠ અનુપમ જાગી છે ,
રૂપ-રૂપ ના અંબાળ, એવા છો દાદા તમે, !
અલૌકિક, અદભુત અને આલ્હાદક છો તમે,
તેજોમય, દીપ્તિમય અને લાવણ્યમય એવું તારું રૂપ છે,
મનહર, મનભર એવું તારું સ્મિત છે !
તારા નયનો જાણે જગત ની કરુણા વરસાવે,
તારા રૂપ આગળ તો હે નાથ ! કોડી દેવો પણ ઝાંખા પડે [10]
અશબ્દ થઇ ગયા, તારું આ રૂપ જોઈ,
દીનાનાથ ના ચરણે, આવું હું દોડી દોડી,
ભવ્ય આ શૃંગાર જોઈ, જગત ને મારે ભૂલવું છે ,
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,

Dada !!!!

તારા ચરણો માં પડી, ધ્રુસકે ધ્રુસકે રડવું છે,
કરેલા સર્વ પાપો નું પ્રાયશ્ચિત, તુઝ નીશ્રા માં કરવું છે,
દિવ્ય તારા શાશન માં, એક ખૂણે રાખજે મને,
આજ નહી તો કાલ, તારજે મને,
મૌત આવે તો અહીંજ આવે, એવીજ મારી ઝંખના છે,
તારા ગુણલા ગાતા ગાતા શ્વાસ ખુટાળું, એજ એક સ્તવના છે ! [11]
તુઝ આલંબન સ્પર્શ કરી ને, કર્મો ને ખપાવા છે,
અવર્ણનીય આ રૂપ જોઈ ને, મુઝ દોષો દુર કરવા છે ,
લોચન તારા જોઈ જોઈ ને, હૃદય મુઝ “અર્પિત” કરવું છે,
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે,
તુઝ નયનો નું અમૃત પીવા, આજ મારે આવું છે.


Rayan Vruksh - Rayan Paduka : તારા ચરણો ની રજ લેવા, આજ મારે આવું છે,

A video of the poem in my voice !



Footnotes:

[1] નવ્વાણું પ્રકારી પૂજા ના ઢાળ ની પંક્તિ- “જાણે દર્શન અમૃત પીવો રે”
[2] ૮૪ લાખ ભવો નું ભ્રમણ
[3] રાયણ વૃક્ષ ની છાયા માં બિરાજમાન કર્માશા એ બિરાજમાન કરેલ આદિનાથ પ્રભુ ની ભવ્ય ચરણ પાદુકા.
[4] શ્રી શત્રુંજય તીર્થ ની થોઈ- “શ્રી શેતૃંજે આદીજીન આયા, પૂર્વ નવ્વાણું વારજી” થી ગર્ભિત.
[5] વસ્તુપાળ-તેજપાલ મંત્રી અને ઘણા શ્રાવકોએ ગીરીરાજ ને પુષ્પો થી વધાવ્યા છે, તેથી પગથીયે પુષ્પ ચઢાવાની ભાવના.
[6] “સિદ્ધાચલ શિખરે દીવો રે,આદેશ્વર અલબેલો રે” ને પોતાની નવ્વાણુંઓ માં ગાતા શ્રી રાજુભાઈ-“અલબેલા” !
[7] ગીરીરાજ માં રામ પોળ, સગાળ પોળ, વાઘણ પોળ અને હાથી પોળ.
[8] રતન પોળ માં આદિનાથ દાદા નો દરબાર, મેઘનાદ મંડપ-નંદીવર્ધન પ્રાસાદ.
[9] દાદા ના દરબાર માં ભક્તો ના ભાવો થી છલકતો “જય જય શ્રી આદિનાથ” ના રણકાર
[10] જય જય પાર્શ્વ જીણંદ સ્તવન ની પંક્તિ- “કોડી દેવ મિલ કે ના કર સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિ છંદ”
[11] “ઐસી દશા હો ભગવાન, જબ પ્રાણ તન સે નિકલે” ભક્તિ ગીત ની પંક્તિ : “ગીરીરાજ કી હો છાયા-મન મેં ના હોવે માયા”




Comments

  1. Simply wonderful poem n video...direct frm the heart.. .
    N ur grammatical errors r forgiven 😆

    ReplyDelete
  2. Congratulations Arpit :)..keep sharing your experiences and writings and inspiring us to discover more of ourselves..Though lines in Gujrati are bit difficult for me but still I could manage to read and understand it.

    ReplyDelete
  3. Such a heart touching composition Arpit. Thanks for sharing.
    Keep on weaving magic of words like this and keep on inspiring.

    ReplyDelete
  4. Beautiful poem Arpit bhai.... Awesome....

    ReplyDelete

Post a Comment

Popular Posts