Posts

Showing posts from 2021

जिन पूजा: इतिहास के पन्नो से

Image
This research paper has been converted into a book with enhanced information. The e-book can be downloaded at  -  https://drive.google.com/file/d/1SKF9kM-TnJdzUvGYEjCcHXHFSIYBlGtR/view?usp=sharing इस संशोधात्मक लेख को अब एक पुस्तक के रूप में प्रकाशित किया गया है. eBook पढ़ने के लिए क्लिक करे -  https://drive.google.com/file/d/1SKF9kM-TnJdzUvGYEjCcHXHFSIYBlGtR/view?usp=sharing  

મારા પ્યારા પ્રભુ

Image
પ્રેમ આ શબ્દમાં એટલી તાકાત છે કે તે અસંભવને પણ સંભવ બનાવી શકે અને અશક્યને શક્ય. સામાન્ય દ્રષ્ટિથી કહું તો પ્રેમમાં વ્યક્તિ ગાંડો ઘેલો બની જાય છે. જો ગાંડો ઘેલો ન થયો હોય તો તેને પ્રેમ થયોજ નથી; પ્રેમી પાછળ ગાંડપણ એ તો એક અલંકાર છે. જે કાર્ય એક પ્રેમી કરી શકે તે એક સામાન્ય વ્યક્તિ માટે પ્રાયઃ અશક્ય હોય છે. પ્રેમ એક એવો સંબંધ છે કે જેની કેટલી પણ વ્યાખ્યા કરીએ, તેને ન્યાય આપી શકાતો નથી. પ્રેમ કોને કહેવાય તે સમજવું હોય તો તેના માટે પહેલા પ્રેમ કરવો પડે. એ અનુભવની વ્યાખ્યા એટલે પ્રેમ. પ્રેમની સાચી અનુભૂતિ તો અનંદઘનજી, મીરાબાઈ અથવા અમીર ખુસરો જેવા બડભાગી લોકોજ કરી શકે... પણ પ્રેમની કંઈ મોનોપોલી થોડી છે? એ તો કોઈ પણ કરી શકે. મેં પણ કર્યો છે. આજે મારા પ્રિતમને એક પત્ર લખીને મારા મનની વાત કહેવાનો धाडस કરું છું. (धाडस એક મરાઠી શબ્દ છે; ગુજરાતી કે હિન્દી શબ્દકોશમાં આ શબ્દને ન્યાય આપતો બીજો કોઈ શબ્દ નથી મળતો. સામાન્યતઃ દુસ્સાહસ અથવા ગુસ્તાખી કહી શકાય). મારા પ્રીતમની શું વાત કરું. એના પાસે તો મારા જેવા લાખો ચાહકો છે. મને ખબર છે કે તેને મારી જેમ રોજના ઢગલાબંધ લોકો પત્રો લખતા હશે. તે લોકો મારાથી સા

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો

Image
પરમાત્મા એટલે ઉત્કૃષ્ટ અનંતગુણોનું એક પવિત્રધામ અને મોક્ષ પ્રાપ્તિનું બીજ છે પરમાત્મ ભક્તિ . આપણે જે-જે ગુણો પ્રાપ્ત કરવા છે - તે તમામ ગુણો પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે, એટલે પ્રભુ ભક્તિ કરતા, પ્રભુના ગુણો ગાતા અને પ્રભુમય બનતા પ્રભુના ગુણો ધારણ કરી શકાય છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ પરમ પવિત્ર શ્રી ભક્તામર સ્તોત્રની દશમી ગાથામાં ફરમાવ્યું છે ~ नात्यद् भूतं भुवन भुषण भूतनाथ। भूतैर् गुणैर् भुवि भवन्तमभिष्टुवन्तः तुल्या भवन्ति भवतो ननु तेन किं वा। भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ અર્થાત, હે ભુવનભૂષણ પ્રભુ ! આપના વાસ્તવિક અદ્ભૂત ગુણો વડે આપને સ્તવનારા જગતમાં આપના જેવા થાય છે તો તેમાં કાંઈ બહુ મોટું આશ્ચર્ય નથી ! આપ એવા સ્વામી છો કે તમારા આશ્રિતને પણ તમારા સમાન બનાવો છો !  એક નૂતન ભક્તિ ગીતમાં પણ કવિશ્રી એ કહ્યું છે ~ " અરિહંતના ધ્યાને અરિહંત બની જશું, જિનની ભક્તિ કરતા-કરતા જિન બની જશું ". આવા અનંતગુણોના સ્વામી, તીર્થંકર પ્રભુ પ્રત્યે ભક્તને ભક્તિ જાગે તે સ્વાભાવિક છે. જેમ જળ વિના માછલી રહી શકે નહીં - તેમ એક કૃતજ્ઞ આત્મા પ્રભુ ભક્તિ વિના રહી શકતો નથ