Posts

મારા પ્યારા પ્રભુ

Image
પ્રેમ આ શબ્દમાં એટલી તાકાત છે કે તે અસંભવને પણ સંભવ બનાવી શકે અને અશક્યને શક્ય. સામાન્ય દ્રષ્ટિથી કહું તો પ્રેમમાં વ્યક્તિ ગાંડો ઘેલો બની જાય છે. જો ગાંડો ઘેલો ન થયો હોય તો તેને પ્રેમ થયોજ નથી; પ્રેમી પાછળ ગાંડપણ એ તો એક અલંકાર છે. જે કાર્ય એક પ્રેમી કરી શકે તે એક સામાન્ય વ્યક્તિ માટે પ્રાયઃ અશક્ય હોય છે. પ્રેમ એક એવો સંબંધ છે કે જેની કેટલી પણ વ્યાખ્યા કરીએ, તેને ન્યાય આપી શકાતો નથી. પ્રેમ કોને કહેવાય તે સમજવું હોય તો તેના માટે પહેલા પ્રેમ કરવો પડે. એ અનુભવની વ્યાખ્યા એટલે પ્રેમ. પ્રેમની સાચી અનુભૂતિ તો અનંદઘનજી, મીરાબાઈ અથવા અમીર ખુસરો જેવા બડભાગી લોકોજ કરી શકે... પણ પ્રેમની કંઈ મોનોપોલી થોડી છે? એ તો કોઈ પણ કરી શકે. મેં પણ કર્યો છે. આજે મારા પ્રિતમને એક પત્ર લખીને મારા મનની વાત કહેવાનો धाडस કરું છું. (धाडस એક મરાઠી શબ્દ છે; ગુજરાતી કે હિન્દી શબ્દકોશમાં આ શબ્દને ન્યાય આપતો બીજો કોઈ શબ્દ નથી મળતો. સામાન્યતઃ દુસ્સાહસ અથવા ગુસ્તાખી કહી શકાય). મારા પ્રીતમની શું વાત કરું. એના પાસે તો મારા જેવા લાખો ચાહકો છે. મને ખબર છે કે તેને મારી જેમ રોજના ઢગલાબંધ લોકો પત્રો લખતા હશે. તે લોકો મારાથી સા

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો

Image
પરમાત્મા એટલે ઉત્કૃષ્ટ અનંતગુણોનું એક પવિત્રધામ અને મોક્ષ પ્રાપ્તિનું બીજ છે પરમાત્મ ભક્તિ . આપણે જે-જે ગુણો પ્રાપ્ત કરવા છે - તે તમામ ગુણો પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે, એટલે પ્રભુ ભક્તિ કરતા, પ્રભુના ગુણો ગાતા અને પ્રભુમય બનતા પ્રભુના ગુણો ધારણ કરી શકાય છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ પરમ પવિત્ર શ્રી ભક્તામર સ્તોત્રની દશમી ગાથામાં ફરમાવ્યું છે ~ नात्यद् भूतं भुवन भुषण भूतनाथ। भूतैर् गुणैर् भुवि भवन्तमभिष्टुवन्तः तुल्या भवन्ति भवतो ननु तेन किं वा। भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ અર્થાત, હે ભુવનભૂષણ પ્રભુ ! આપના વાસ્તવિક અદ્ભૂત ગુણો વડે આપને સ્તવનારા જગતમાં આપના જેવા થાય છે તો તેમાં કાંઈ બહુ મોટું આશ્ચર્ય નથી ! આપ એવા સ્વામી છો કે તમારા આશ્રિતને પણ તમારા સમાન બનાવો છો !  એક નૂતન ભક્તિ ગીતમાં પણ કવિશ્રી એ કહ્યું છે ~ " અરિહંતના ધ્યાને અરિહંત બની જશું, જિનની ભક્તિ કરતા-કરતા જિન બની જશું ". આવા અનંતગુણોના સ્વામી, તીર્થંકર પ્રભુ પ્રત્યે ભક્તને ભક્તિ જાગે તે સ્વાભાવિક છે. જેમ જળ વિના માછલી રહી શકે નહીં - તેમ એક કૃતજ્ઞ આત્મા પ્રભુ ભક્તિ વિના રહી શકતો નથ

મને યાદ આવશે તારો સથવારો...

Image
શ્રી કરણભાઈ સાથે નાનપણથી ઘણો અંગત સંબંધ. લગભગ સાથે મોટા થયા; શ્રી અષ્ટપ્રકારી પૂજા બાળક મંડળ , શ્રી જીવદયા મંડળ તથા શ્રી મુનિસુવ્રત આરાધક ગ્રુપ ; બધેજ સાથે ભક્તિ કરતા-કરાવતા. એટલે ગુરુદેવ દ્વારા દીક્ષા મુહૂર્ત પ્રદાન થતાંજ ટીકીટો બુક કરાવી. આજ સુધી કોઈ પણ મુમુક્ષુની દીક્ષા જોઈ ન હતી - મારા જીવનનો આ પ્રથમ દીક્ષા મહોત્સવ હતો ; એમાં અંગત મિત્રની દીક્ષા; એમાં મારા ઉપકારી ગુરુદેવની નિશ્રા (પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા); આવા લાભલાભનો સંગમ છોડવો અશક્ય હતો. ૨૭ નવેમ્બર ૨૦૧૯ ની રાત્રે ચેન્નાઇ પહોંચ્યા. વર્ષારાણીએ પહોંચતાજ સ્વાગત કર્યું. સાવકારપેટ વિસ્તારના ચંદ્રપુરી ભવનમાં દિક્ષાર્થી પરિવારે ઉતરવાની સુંદર વ્યવસ્થા કરી આપી હતી. ૨૮ તારીખે પ્રાતઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ જિનાલયની અંજનશલાખા પ્રતિષ્ઠા મહોત્સવ તથા ૪-૪ મુમુક્ષુઓની દીક્ષા મહોત્સવના ભવ્યાતિભવ્ય, હજારોની મેદનીને સમાવનાર વિશાળ મંડપનું ઉદ્ઘાટન થયું . પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય  શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેમના વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતોના પરિવારના દર્શન થયા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહ

વ્હાલા સાથે વ્હાલી વાતો - નવાંગી પૂજાની સંવેદનાઓ

Image
આજથી એક વર્ષ પહેલાની વાત છે. પરમ પૂજ્ય શ્રી રાજધર્મવિજયજી  મહારાજા  સાથે ભવાનીપુર ઉપાશ્રયમાં તત્વચિંતન કરતા,  પરમ  પૂજ્ય શ્રી આનંદઘનજી મહારાજા દ્વારા રચિત એક સ્તવનની પંક્તિ સામે આવી - " ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એહ ". ઘણા સમયથી મનમાં રહેલ એક પ્રશ્ન ગુંજતો હતો, પણ તેનું સ્પષ્ટ નિરાકરણ મળતું ન હતું; સ્તવનની પંક્તિથી એ પ્રશ્ન સુસંગત હતો એટલે મેં તરત પૂજ્યશ્રીને પૂછ્યું - " સાહેબ ! દરરોજની દોડાદોડમાં ચિત્ત પ્રસન્ન રે તેવી પૂજા કઈ રીતે કરવી? " ત્યારે સાહેબે તરત સમાધાન બતાવી આપ્યું. સાહેબે મને પૂછ્યું - " તારી પાસે દરરોજ પૂજા કરવા માટે કમસેકમ પાંચ મિનિટ તો હશેજ ?", મેં જવાબ આપ્યો " હા ". ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે- " જયારે પણ સમય મર્યાદિત હોય ત્યારે માત્ર એક ભગવાનની પૂજા કર, અને પૂજા કરતા દરેક અંગ ઉપર વિચારણા કર; પ્રભુના ગુણોનું સ્મરણ કર; જ્યાં સુધી એ ગુણોનું સ્મરણ કરતા રૂવાંટા ન ઉભા થાય ત્યાં સુધી પ્રભુના દરેક અંગની વિશેષતા મનમાં ગૂંથતો રહે ". તેમ કહી સાહેબે સંક્ષેપમાં પ્રભુના નવ અંગોની વિશેષતા કહી અને મારાથી જેટલું બન

In search of the real Pava...

Image
BACKGROUND  Jains have always revered the places where the five divine events, i.e. the Panchkalyanaks of Tirthankars (Chyavan, Janma, Diksha, Kevalgyan and Nirvan) had taken place. The last Tirthankar of this cosmic cycle, Shri Vardhaman Mahavir , on whose teachings Jainism has survived, flourished and thrived till date, was born in 599 BC and attained Nirvan in 527 BC at the age of 72. As I had also discussed this in one of my earlier blogs , it would be obvious to assume that being the last Tirthankar, all the original locations of Lord Mahavir’s Panchkalyanaks would have been well preserved by Jains; However, the case is not so. Although, it might be surprising, the locations of all the five Kalyanaks of Lord Mahavir are disputed – either between the Shwetambar-Digambar sects or by history scholars. The only Kalyanak location agreed by both the Shwetambar & Digambar sects, i.e. Pavapuri (near Nalanda in Bihar) is disputed by history scholars, who place the location of the Nirv